મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "મામેરૂં" નું અક્ષરાંકન ૯૦% પૂર્ણ થયું
છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૧ હેઠળ ભક્ત
કવિ શામળ લિખિત મહાકાવ્ય "અંગદવિષ્ટિ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
રામાયણના પાત્ર અંગદ રાવણને શાંતિવાર્તા કરવા - તેને સમજાવવા જાય છે તે ઘટનાને આવરી લેતી આ
કાવ્ય કથા છે. આ કાવ્ય કથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર
જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા