મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણભાઈ નીલકંઠ રચિત પુસ્તિકા "રાઈનો પર્વત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં પ્રાચીન ભવાઈની એક ઘટના નો આધાર લઈને રમણભાઈ નીલકંઠએ સુંદર નાટક વણેલું છે. આ પરિયોજના ૦૫-૦૬-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૭-૨૦૧૩ ના દિવસે પૂર્ણ થઈ છે. તેમાં ૫ મિત્રો સહભાગી થયા.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), જયશ્રી (મુંબઈ), ધવલભાઈ વ્યાસ (લંડન) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ). એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
હાલમાં પ્રેમાનંદમેઘાણી રચિત નવલકથા "નળાખ્યાન" પર સહકાર્ય ચાલુ છે. તેમાં જોડાવવા ઈચ્છનાર નીચેની કડી પર સંપર્ક કરી શકે છે.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
સુશાંત સાવલા
શું આપણે આવા કોઇ દુર્લભ પુસ્તક મેળવી નવી પરિયોજના તરીકે હાથ પર લઈ શકીયે? અમદાવાદ ખાતે ના મિત્રોને કદાચ નીચે ના પુસ્તકો મેળવવામાં અનુકુળતા રહે તો કામ કરવાની બહુ મજા પડૅ...
અમદાવાદની પોળોમાં માત્ર અડોઅડ આવેલાં ઘરોમાં કળા કારીગરીને જીવંત કરવામાં વિમલ શાહનું નામ દઈ શકાય. ભીમદેવ રાજાના જૈન પ્રધાન વિમલ શાહે ૧૦૩૨ની સાલમાં આબુનું મંદિર બંધાવ્યું હતું. વિમલ શાહના પ્રપૌત્રોએ અમદાવાદમાં કેટલીક પોળમાં કલાત્મક રીતે ઘરો-બનાવ્યા. રાજવલ્લભ, પરિમાણ, મંજરી, બૃહતસંહિના શિલ્પશાસ્ત્ર જેવા પુરાણગ્રંથોમાં મંદિરો અને મહેલો બાંધવા માટે જે નિયમો
હતા અને કારીગરીની વિગતો હતી તે પ્રમાણે પોળોમાં ઘરો બાંધવા માંડ્યા. દીવાલની ઊંચાઈ, બારી-બારણાની ઊંચાઈ અને બીજી ઝીણવટભરી વિગતોનું પોળોના ઘરો બાંધતી વખતે ઘ્યાન આપવા માંડ્યું.
http://www.divyabhaskar.co.in/article-hf/GUJ-GNG-all-in-one-information-abo…
મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૩ "રાઈનો પર્વત" અને ૨૪ - "અખાના અનુભવ" ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને
વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૨૫ હેઠળ પ્રેમાનંદ રચિત આખ્યાન "નળાખ્યાન" ચઢાવવામાં આવી રહ્યું છે.
નળ-દમયંતીને કથાને વણી લેતુ આ આખ્યાન સરળ ભાષામાં લખાયેલું છે જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ
નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8
આભાર
સુશાંત