મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલદેસાઈ રચિત નવલકથા "સેન્હસૃષ્ટિ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૦૫-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૨૦-૦૬-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), કલ્પજ્ઞા, કોકિલા ગડા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://w.wiki/UnJ
આભાર.
સુશાંત સાવલા
મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સ્નેહસૃષ્ટિ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૬ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "સત્યની શોધમાં" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/Ujp
આભાર
સુશાંત સાવલા
મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૨૧મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.
રમણલાલ દેસાઈ લિખિત નવલિકા સંગ્રહ "હીરાની ચમક" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.
https://w.wiki/Ubx
આભાર
સુશાંત સાવલા