મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત દેશભક્તિ
કાવ્ય સંગ્રહ "રાષ્ટ્રિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાત, ભારત , ગાંધીજી
અને પ્રાચીન ગુજરાતી સાહિત્યકારોને અંજલિ આપતાં ૭૨ કાવ્યોનો આ સંગ્રહ છે. આ પરિયોજના
૦૧-૦૪-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૪-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), આર્નવ
સોનારા (રંગીલો ગુજરાતી), ધવલભાઈ ભાવસાર (બારડોલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ
મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ
પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9…
સુશાંત સાવલા