મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. અરદેશર ફરામજી ખબરદાર રચિત દેશભક્તિ કાવ્ય સંગ્રહ "રાષ્ટ્રિકા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાત, ભારત , ગાંધીજી અને પ્રાચીન ગુજરાતી સાહિત્યકારોને અંજલિ આપતાં ૭૨ કાવ્યોનો આ સંગ્રહ છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૪-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), આર્નવ સોનારા (રંગીલો ગુજરાતી), ધવલભાઈ ભાવસાર (બારડોલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

શ્રી. અરદેશર ખબરદારની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >