મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૪)" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૬ હેઠળ નંદશંકર મહેતા લિખિત પ્રાચીન નવલકથા
"કરણ ઘેલો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતના છેલ્લા રજપુત કરણ વાઘેલાના જીવનને આવરી લેતી આ નવલકથા સૌ પ્રથમ ૧૮૬૬માં પ્રસિદ્ધ થઈ
હતી અને તેને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા માનવામાં આવે છે આ નવલકથાનું અંગ્રેજી ભાષાંતર
૨૦૧૫માં થયેલું છે.
ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી
પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા