મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "ભટનું ભોપાળું"નું અક્ષરાંકન પૂર્ણ થયું
છે. પરિયોજના - "સોરઠ, તારાં વહેતાં પાણી" ૯૬% પૂર્ણ થઈ છે, તેના સર્વ પ્રકરણો
સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૩ હેઠળ રમણભાઈ મહિપતરામ નીલકંઠ રચિત નાટક
"રાઈનો પર્વત"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ પરિયોજનાનું
વ્યવસ્થાપન આપણા ભરૂચના મિત્ર સતિષચંદ્રભાઈ કરશે.
"પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ
રાઈનો પર્વત કરે, પર્વત બાગનિ માંહિ"
એ વિચાર ધારા પર આ સાત અંકી વાચ્ય નાટક રચાયું છે. આ નાટકને પાઠ્ય પુસ્તક તરીકે પણ શીખવવામાં
આવ્યું છે. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે
આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા