2013/2/18 Vyas, Dhaval <dhaval.vyas(a)citi.com>om>:
મહત્વનો સવાલ ઉઠાવ્યો છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ એટલો
સરળ નથી. બધા જ પુસ્તકોના
મુખપૃષ્ઠ (cover page) પ્રકાશનાધિકાર હેઠળ આવતા નથી અને એ જ રીતે બધા જ કવર
પેજો પ્રકાશનાધિકારથી મુક્ત હોય છે તેમ પણ નથી. દરેક કિસ્સામાં તેની અલગ મુલવણી
કરવી પડતી હોય છે. ઉપરાંત વિકિપીડિયા અને કોમન્સ આ બંનેમાં અલગ-અલગ નીતિઓ
અખત્યાર કરવામાં આવે છે, એટલે અત્રે એ જાણવું પણ અગત્યનું છે કે પ્રશ્ન
વિકિપીડિયાના સંદર્ભે પૂછ્યો છે કે વિકિમીડિયા કોમન્સના સંદર્ભે. વિકિપીડિયાના
સંદર્ભે પૂછ્યો હોય તો તે કઈ ભાષાના વિકિપીડિયા સંદર્ભે? કેમકે અંગ્રેજી
વિકિપીડિયામાં ફેર યુઝ (fair use) મીડિયા તરીકે પ્રકાશનાધિકાર હેઠળ હોય તેવા
ચિત્રો, લોગો, ફાઇલો, વગેરેને સમાવી શકાય છે.
ઓકે. આખી વાત (કે વતેસર)ની પાશ્વભૂમિકા તો આપવાની રહી ગઇ!
મારી પાસે અમુક લેખકોનાં પુસ્તકો છે. દા.ત ચંદ્રકાંત બક્ષી, અશ્વિની
ભટ્ટ. આ સાહિત્યકારોનો કોપીરાઇટ મુક્ત કે વિકિપીડિઆમાં સ્વિકાર્ય એવા
લાયસન્સ હેઠળનો ફોટો નથી તો, તેમનાં પુસ્તકોનો એકાદ કવરનો ફોટો મૂકી શકાય
કે નહી. એ વિચાર મને આવેલો. આખી વાત અહીંથી શરુ થઇને મને થયું કે આ અંગે
અહીં પૂછીએ તો વધુ સારું.
ફેર યુઝ તરીકે બક્ષીબાબુ કે અશ્વિની ભટ્ટના પુસ્તકોથી ભરેલી બુક-શેલ્ફનો
ફોટો ચોક્કસ ચાલી શકે!
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com