મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૨ "સિંધુડો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૧ - "રસિકવલ્લભ" ૯૦% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૩ હેઠળ નવલરામ પંડ્યા કૃત ચતુરકથા સંગ્રહ "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણીનો "સિંધુડો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આઝાદીની લડતના કાળ દરમ્યાન આલેખાયેલ શૌર્યગીતોનો આ સંગ્રહ છે. આ પરિયોજના ૨૧-૧૦-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨-૧૧-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ કાવ્ય સંગ્રહના અમુક કાવ્યો પહેલેથી મોજૂદ હતાં. બાકી કાવ્યો આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની) અને સુશાંત (મુંબઈ)એ સાથે મળી પૂર્ણ કર્યા હતાં. પુસ્તક વ્યોમભાઈ (જુનાગઢ)એ ઉપલ્બધ કરાવી આપ્યું હતું અને અશોકભાઈ મોઢવાડીયા (જુનાગઢ)એ પુસ્તકની સ્કેન કૉપી ઉપલબ્ધ કરાવી હતી. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
ઝવેરચંદ મેઘાણીની આ શૌર્યભરી કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે.
સુશાંત સાવલા
મિત્રો,
આપ સહુ જાણો છો તેમ આપણા ગુજરાતી વિકિ પર ૧૬૦૦૦ કરતા વધારે ગુજરાતનાં ગામ
વિષેના લેખ છે. એમાંથી ઘણા ખરા ગામનાં લેખમાં લખેલા અક્ષાંશ અને રેખાંશ જે તે
ગામનાં હોવાને બદલે મોટેભાગે એ ગામનાં તાલુકા મથકનાં છે. જો કે આ કંઇ બહુ ખોટુ
તો નથી જ પરંતુ એને લીધે આપણા વિકી પાસેની માહિતિ થોડી ગેરમાર્ગે દોરનારી છે
એવી સામાન્ય છાપ પડે છે. આ માટે શક્ય એટલા વધારે ચોક્કસ અક્ષાંશ - રેખાંશ
શોધીને વિકીના બઘા ગામનાં લેખમાં એ માહિતિ મઠારવા માટે એક અક્ષાંશ - રેખાંશ
સુધારણા અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે.
આ માટેની વદારે માહિતિ માટે તમે ચોતરા પર વાંચી શકો છો. લેખ ઘણા બઘા છે એટલે
ઘણા બઘા લોકોના સહયોગની જરૂર છે.
આભાર,
વિહંગ