મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા રચિત ચરિત્ર કથા "બુદ્ધ અને મહાવીર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. મહાત્માના ચરિત્ર અને તેમના આધ્યાત્મની સુંદર, સરળ અને ટૂંકી સમજૂતી આ પુસ્તકમાળાની વિશેષતા છે. આ પરિયોજના ૧૯-૦૯-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૧૦-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.
શ્રી. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાની આ આધ્યાત્મિક કથાને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7...
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org