મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગાંધીજી રચિત પુસ્તિકા ગામડાંની વહારે ચઢાવાનું
કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં ગાંધીજીએ ગ્રામ-સુધારણાનો કાર્યક્રમ ચલાવનારા ગ્રામસેવકોને
માર્ગદર્શન આપ્યું છે. આ પરિયોજના ૧૫-૦૪-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૪-૨૦૧૩ ના દિવસે તે
પૂર્ણ થઈ છે. તેમાં ૫ મિત્રો સહભાગી થયા.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), જયશ્રી (મુંબઈ), ભાવેશ
મહેતા (મુંબઈ) સુશાંત (મુંબઈ). એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
હાલમાં કઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "સોરઠ તારાં વહેતા પાણી" પર સહકાર્ય ચાલુ છે.
તેમાં જોડાવવા ઈચ્છનાર નીચેની કડી પર સંપર્ક કરી શકે છે.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
સુશાંત સાવલા