મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી નારાયણ વિશનજી ઠક્કુર રચિત ઐતિહાસિક
નવલકથા "૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ
પરિયોજના ૩૧-૧૨-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૨-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને
સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
મૂળ સંસ્કૃતમાં લખાયેલ "મુદ્રારાક્ષસ" નાટકને આધારે મરાઠી ભાષાના સુપ્રસિદ્ધ
નવલકથાકાર રા. રા. હરિ નારાયણ આપટેએ મરાઠી ભાષામાં 'ચન્દ્રગુપ્ત' નામે એક નવલથા લખી
હતી. એ નવલકથાનો જ આ ગુર્જર અનુવાદ છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AB%A8%E0%AB%AB%E0%AB%A6%E0%AB%A6_%E0%AA%…
આભાર.
સુશાંત સાવલા