વિકિમિત્રો, નમસ્કાર.
જૂનાગઢ સ્થીત બંન્ને ગ્રંથાલયના ગ્રથપાલશ્રીઓને આમંત્રણ પહોંચાડાયા. જો
કે ૩૧-માર્ચ, સરકારી રીતે વર્ષાંત હોય સરકારી કર્મચારીઓ ઘણાં વ્યસ્ત
રહેશે. છતાં સમયની અનુકૂળતા હશે તો તેઓશ્રી પધારશે.
વિદ્વાન લેખક અને ઇતિહાસકાર પ્રદ્યુમ્નજી ખાચરને વ્યોમજી અને હું આમંત્રણ
આપી આવ્યા. તેઓએ વિકિપીડિયા અને સ્રોત વિશે ઘણો જ ઉત્સાહ દર્શાવ્યો. અમે
બંન્નેએ વિકિ કઈ રીતે કાર્ય કરે છે તે વિશે તેઓશ્રીને પ્રાથમિક વિગતો પણ
જણાવી. તેઓશ્રીએ કાર્યક્રમમાં હાજરી આપવા સંમતિ આપી છે.
વધુ એક શિક્ષણ સંકુલ, એન.બી.કાંબલીયા વિદ્યાલયનાં ટ્રસ્ટીગણ અને
આચાર્યગણને આમંત્રણ આપી આવ્યા.
ઉપરોક્ત વિગતો સર્વે વિકિમિત્રોને જાણ માટે. વધુ માહિતીઓ મળતી રહેશે. ધન્યવાદ.
પ્રબંધકશ્રીઓ અને આયોજકો વતિ, અશોક મોઢવાડીયા.
--
**ɐıpɐʌɥpoɯ ʞoɥsɐ*
* Meet me at:::::>>
*http://vanchanyatra.wordpress.com*
Show replies by date