મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા સંગ્રહ - દાદાજીની
વાતો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ૧૦ વાર્તા ધરાવે છે. આ પરિયોજના ૧૩-૧૦-૨૦૧૨
ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૧૨-૨૦૧૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૭ મિત્રો સહભાગી થયા.
પરિયોજનાનું વ્યવસ્થપન વ્યોમભાઈએ સંભાળ્યું હતું.
આ પરિયોજનામાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ
(ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), દેવેન્દ્રભાઈ (ભરૂચ), સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. આપ
સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
સુશાંત સાવલા
Show replies by date