વેબ ગુર્જરી'એ સમુદાય-સહયોગ્ની ભૂમિકા વડે કરેલ પ્રથમ ઈ–પુસ્તક “ગ્રીષ્મવંદના”નાં પ્રકાશનની સફળતા હવે “કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ગુજરાતી” આ વિષય પરનાં ત્રણ પુસ્તકોનું આયોજન વિચારેલ છે.
"આ પ્રકાશનની વિશેષતા એ હશે કે, બધાં પુસ્તકો સામુહિક ધોરણે, સૌની મદદ વડે પ્રગટ થશે. પુસ્તકના પ્રકાશક તરીકે વેબગુર્જરી હશે અને પુસ્તકની સઘળી કષ્ટદાયક કામગીરી કરનાર સંપાદકો પણ વેગુના જ હશે પરંતુ પુસ્તકોના પરામર્શકો તરીકે જે તે વિષયના નેટજગતના નિષ્ણાતો હશે. આ નિષ્ણાતોની સલાહથી વિષયો અને તેની અનુક્રમણિકાઓ તૈયાર કરવામાં આવશે અને તે પછી જે તે પેટાવિષયોનાં લખાણો તૈયાર કરવા માટે જે તે વિષયના લેખકોને વિનંતી કરવામાં આવશે. આ વિષય પરનાં ત્રણ પુસ્તકોના વિષયો આ પ્રમાણે હશે – ૧) કમ્પ્યુટર : ઇતિહાસ, વિકાસક્રમ અને ઉપયોગ ૨) ઇન્ટરનેટ : વિકાસક્રમ અને ગુજરાતીના પ્રવેશથી આજ સુધીની સ્થિતિ ૩) નેટજગતનાં ગુજરાતી લખાણો, તેના પ્રકારો અને લેખકો–વાચકોનો ફાળો" વેગુ તેમના લેખ - “વે.ગુ. પુસ્તકપ્રકાશન”ની એક બહુઉદ્દેશીય યોજના ! - દ્વારા આ વિષય પર લખાણોનું યોગદાન તો મંગાવે છે જે, પણ સાથે સાથે આ પ્રયોગમાટે આ વિષય સાથે પરિચિત અને /અથવા તકનીકી જ્ઞાન ધરાવતાં મિત્રોની એક સ્વયંયસેવી ‘પરામર્શકસમિતિ’ બાબતે પણ ટહેલ કરી છે. આપ સહુ આ બાબતે સક્રિય સહયોગ મદદ કરી શકો તેમ છો, તેવું મારૂં માનવું છે, તેથી આપણે મેં આ ઇ-મેલ મોકલ્યો છે. આપ પણ આપનાં મિત્ર-વર્તુળને પણ આ બાતે જાણ કરશો. આપ સહુ ‘પરામર્શકસમિતિ’અંગે આપના પ્રતિભાવો વેગુના મુખ્ય સુત્રધારો શ્રી દીપકભાઇ ધોળકિયા અને /અથવા શ્રી જુગલકિશોરભાઇ વ્યાસને મોકલો તેવી વિનંતિ છે. તેમનાં ઇ-મેલ સંપર્ક સરનામાં આ મેલમાં 'સી.સી." માં છે. આભાર, અશોક વૈષ્ણવ