મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નવલરામ પંડ્યા રચિત "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. અકબરના દરબારમાં થતી કાવ્યરંજનની ઘટનાઓને આવરી લેતી આ એક રસિક કૃતિ છે. આ પરિયોજના ૨૪-૧૦-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૦૭-૧૨-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ(ભરૂચ), ધર્મેશભાઈ (હૈદરાબાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
નવલરામ પંડ્યાના આ કાવ્ય-તરંગને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે
સુશાંત સાવલા