મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં જ કવિ દયારામની કૃતિ "રસિકવલ્લભ" નું અક્ષરાંકન પૂર્ણ થયું
છે, અન્ય પરિયોજના " અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" નું અક્ષરાંકન ૭૭%
જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના
ક્રમાંક ૩૪ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "વસુંધરાનાં વહાલાં દવલાં"ને સ્રોત પર
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ નવલકથા ૧૯મી સદીના ઉત્તરાર્ધના સોરઠી સમાજના પીડિત વર્ગના
જીવનનો ચિતાર આપે છે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે
આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા