મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં જ કવિ દયારામની કૃતિ "રસિકવલ્લભ" નું અક્ષરાંકન પૂર્ણ થયું છે, અન્ય પરિયોજના " અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" નું અક્ષરાંકન ૭૭% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૩૪ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "વસુંધરાનાં વહાલાં દવલાં"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ નવલકથા ૧૯મી સદીના ઉત્તરાર્ધના સોરઠી સમાજના પીડિત વર્ગના જીવનનો ચિતાર આપે છે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82


આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >