મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા "છાયાનટ"
ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૩-૧૦-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૧૧-૨૦૧૭ ના
દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ
લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની
સરાહના કરે છે. પુસ્તક વિકાસભાઈ કાઈલા (રાજકોટ)એ ઉપલબ્ધ કરાવી આપ્યું હતું.
ઈ. સ. ૧૯૪૧માં રચાયેલ આ પુસ્તક સ્વતંત્રતા સંગ્રામકાળના છેલ્લા ટપ્પા સમયે સમાંતર વિકસતી
સામ્યવાદી વિચાર ધારા, કોમી રમખાણો, દેશના ભાગલાના ભણકારા આદિ સમસ્યાની સામે ઝઝૂમતા ભારતની
વ્યથાનો સુંદર ચિતાર આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા