મિત્રો, વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "આ તે શી માથાફોડ !" પુસ્તકનું
લગભગ ૭૦% જેટલું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે. અને આગલાં પ્રકરણો સૌ મિત્રોને વહેંચાઈ ગયા
છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૪ હેઠળ કવિશ્વર દલપતરામના ચૂંટેલા પુસ્તકોના સંપૂટને
"પરિયોજના દલપત સાહિત્ય" તરીકે શરૂ કરીએ છીએ. આ સંપુટમાં લક્ષ્મી નાટક (નાટક) ,
ગંગાબાઈ જમનાબાઈની વાત(નાટક) , ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ(નિબંધ), કથન સપ્તશતી(૭૦૦
કહેવતનો સંગ્રહ), સ્ત્રીસંભાષણ (નાટક),
તાર્કિક બોધ (લેખ)એમ છ કૃતિઓ ચઢાવવામાંઆવશે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું
હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
આભાર
સુશાંત