મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત રાસ સંગ્રહ
"શિવાજીની સૂરતની લૂંટ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૮-૦૯-૨૦૧૬ ના
દિવસે ચાલુ થઈ અને ૨૩-૧૦-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), ધવલ
વ્યાસ (લંડન), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો
ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
સુરત બંદરના પતન માટે કારણભૂત માનવામાં આવતી બિનાને આવરી લેતી આ કથા મોગલ કે મરાઠા ઇતિહાસમાં
ઉણપ ધરાવતી માહિતી દર્શાવે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9…
આભાર.
સુશાંત સાવલા