મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "સોરઠને તીરે તીરે" પુસ્તકનું લગભગ ૯૦% જેટલું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે. બીજી પરિયોજના "કાશ્મીરનો પ્રવાસ" નું ૮૦% જેટલું અક્ષરાંકન થઈ ગયેલ છે અને તેમના આગલાં પ્રકરણો સૌ મિત્રોને વહેંચાઈ ગયા છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૩ હેઠળ "ગિજુભાઈ બધેકા" રચિત પુસ્તક "આ તે શી માથાફોડ" શરૂ કરવામાં આવી છે. આ એક બાળઉછેર વિષયને આવરી લેતું પુસ્તક છે. આ પરિયોજનું વ્યવસ્થાપન આપણા મિત્ર મહર્ષિ મહેતા દ્વારા કરાશે. જે મિત્રોને આમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%86_%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1_!
આભાર
સુશાંત