વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "મારો જેલનો અનુભવ"નું અક્ષરાંકન પૂર્ણ થયું છે, અન્ય પરિયોજના "વનવૃક્ષો" નું અક્ષરાંકન ૯૦% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૯ હેઠળ ગાંધીજી રચિત / અનુવાદિત બોધકથા "મૂરખરાજ અને તેના બે ભાઈઓ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ વાર્તા ગાંધીજીના પ્રિય લેખક ટોલ્સટોયના વિચારો પર આધારિત છે. ગુજરાતી ભાષાની આ રસપ્રદ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.