મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ "બાપુનાં પારણાં" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૯-૧૧-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૧૦-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

ઈ. સ. ૧૯૪૧માં રચાયેલું આ પુસ્તક પરાધીન રાષ્ટ્ર અને તેના નેતાની મનોવ્યથાઓને વર્ણવતી કવિતાઓ ધરાવે છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82


આભાર.

સુશાંત સાવલા