વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "સોરઠને તીરે તીરે" પુસ્તકનું લગભગ ૬૦% જેટલું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે. અને આગલાં પ્રકરણો સૌ મિત્રોને વહેંચાઈ ગયા છે.
તે સાથે આજે નવી પરિયોજના ક્રમાંક ૧૨ હેઠળ "કલાપી" રચિત પુસ્તક "કાશ્મીરનો પ્રવાસ" શરૂ કરીએ છીએ. આ એક પત્ર સ્વરૂપે લખાયેલ પ્રવાસ વર્ણન છે. આ પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ (ભરૂચ)દ્વારા કરાશે. જે મિત્રોને આમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.