મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. શામળ ભટ્ટ રચિત કાવ્ય કથા "રાવણ મંદોદરી સંવાદ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. રામાયણની કથાના અંતિમ યુદ્ધ પહેલાં મંદોદરી દ્વારા રાવણને સમજાવવાના પ્રયત્નની આ કાવ્યકથા છે. આ પરિયોજના ૧૯-૧૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૧૨-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમ (જૂનાગઢ)એ સંભાળ્યું હતું

શ્રી. શામળ ભટ્ટની આ પદ્યકથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >