મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી રચિત ચરિત્રકથા "કલાપી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨-૦૪-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), ડૉ. દીપકભાઈ ભટ્ટ (અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર), જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/3ov


આભાર.

સુશાંત સાવલા