મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. પી. પી. કુન્તનપુરી રચિત વાર્તા સંગ્રહ "બીરબલ અને બાદશાહ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. અકબર અને બીરબલના જીવન પ્રસંગોને વણી લેતી ૧૪૦ કરતાં પણ વધુ વાર્તાઓનો આ સંગ્રહ છે. આ પરિયોજના ૦૮-૦૨-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૦૪-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન સતિષચંદ્રભાઈ પટેલ કરવામાં આવ્યું હતું. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

શ્રી. પી. પી. કુન્તનપુરીની આ રસપ્રદ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >