મિત્રો,

વિકિસ્રોત પર પરિયોજના " તુલસી-ક્યારો" નું અક્ષરાંકન ૯૫% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૩ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "રા' ગંગાજળિયો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ નવલકથા ૧૫મી સદીના જુનાગઢના છેલ્લા રા' માંડળિક અને ગુજરાતમાં સુલતાનીયના ઉદય કાળને આવરી લેતી આ નવલકથા છે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%27_%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B

આભાર.

સુશાંત સાવલા


Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >