સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "રા' ગંગાજળિયો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં સોરઠ અને ગુજરાતના ઈતિહાસને આવરી લેતી, સોરઠના અંતિમ ગંગાજળિયા રાજા રા' માંડળિકની આ નવલકથા છે. આ પરિયોજના ૨૫-૦૭-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૨૯-૦૮-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), સતિષચંદ્ર પટેલ(ભરૂચ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.
શ્રી. ઝવેચંદ મેઘાણીની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: